કાકાસાહેબ કાલેલકર
‘ગગનને ગોખે’ એ ચોપડી મેં પ્રસન્નતાપૂર્વક વાંચી હતી એ તો યાદ છે જ, પણ હું માનું છું કે પૂ. બાપુજી (ગાંધીજી)નું ધ્યાન પણ એ પુસ્તકે ખેંચ્યું હતું. લોકસંસ્કૃતિ તરફ આપણા વિદ્વાનોનું અને લેખકોનું ધ્યાન ઓછું જતું હતું, તે વખતે એ વિષય તરફ જનતાનું ધ્યાન ખેંચવાનું કામ શરૂઆતમાં મેં કરેલું. લેખો લખીને અને વિશેષ તો વાતચીતમાં. હવે એ વિષય ખૂબ ખેડાતો જાય છે. તમારૂં ‘આપણી લોકસંસ્કૃતિ’ પુસ્તક ફેરવતાં જ તે ઘણું મહત્વનું જણાયું. કલકત્તા તરફ એક ‘ફોકલર સોસાયટી’ સારું કામ કરે છે. તમારા જેવા એ સોસાયટીમાં ભાગ લે અને લેખો લખે તો અખિલ ભારતીય દ્દષ્ટિ કેળવવામાં ઘણાં લોકોને મદદ થાય.