પુસ્તક વિશે
લોકવાર્તાઓનાં આ સંગ્રહમાં કુલ 11 લોકવાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘માનસિંહ ને અભેસિંહ’, ‘સલાટની કરામત’, ‘આગલા અવતારની કથા’, ‘દોલતપરી’, ‘ચશ્માપરી’, ‘હાલો પૂતળી મહેલે જાઈં’, ‘ઓરતની મરદાનગી’ ઇત્યાદિ લોકવાર્તાઓમાં વિવિધ કથાઘટકો આવરી લેવાયેલ છે. વાર્તા એવું અમોઘ સાધન છે કે એમાં આનંદ આપતાં-આપતાં જ શિક્ષણ અપાતું જાય. વાર્તા સમય ગાળવાનું અને આનંદ મેળવવાનું સવર્વ્યાપ્ત તથા સર્વભોગ્ય સાધન છે. લોકવાર્તાઓનાં ઉપરોક્ત ચાર સંગ્રહોની વાર્તાઓ વિવિધ રસભરી રંગપ્રચૂર છે.