પુસ્તક વિશે
શેખચલ્લી એ જગતના રમૂજી વાર્તા સાહિત્યનો બેનમૂન નાયક છે. ક્યાંક ડોન ક્વીક ઝોટ રૂપે, ક્યાંક પરાક્રમ કરતા અડવા રૂપે, તો ક્યાંક નાટકના વિદૂષક રંગલા રૂપે. અંગ્રેજી સાહસકથાઓમાં કોઈ એક પાત્રના પરાક્રમની આસપાસ જ બધી વસ્તુગૂંથણી થાય છે. વાચકના દિલમાં પશુ, પંખી, પ્રાણી કે કુદરતની નહીં પણ પરાક્રમી વીરનાં સાહસ કર્મોની જ તસવીર રમ્યા કરે છે. તેનાથી વિપરિત શેખચલ્લીની આ ચાર સચિત્ર કિશોરકથાવલિમાં સૃષ્ટિના ઘટકોને વધારે મહત્વ અપાયું છે અને શેખચલ્લી તેમાં એક સળંગ સૂત્રરૂપે પરોવાયેલો છે. આદિથી અંત સુધી, એક પછી એક અનેકવિધ મૂંઝવણોમાં મૂકાયે જતાં શેખચલ્લીથી માર્ગ કાઢવા જે રમૂજી નુસખાઓ અપનાવાય છે તે આ વાર્તાશ્રેણીનો અનુબંધ છે.