જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
શેખચલ્લી (ભાગ 1 થી 4)
શેખચલ્લી ગ્રંથાવલિ

શેખચલ્લી (ભાગ 1 થી 4)

શેખચલ્લી એ જગતના રમૂજી વાર્તા સાહિત્યનો બેનમૂન નાયક છે. ક્યાંક ડોન ક્વીક ઝોટ રૂપે, ક્યાંક પરાક્રમ કરતા અડવા રૂપે, તો ક્યાંક નાટકના વિદૂષક રંગલા રૂપે. અંગ્રેજી સાહસકથાઓમાં કોઈ એક પાત્રના પરાક્રમની આસપાસ જ બધી વસ્તુગૂંથણી થાય છે. વાચકના દિલમાં પશુ, પંખી, પ્રાણી કે કુદરતની નહીં પણ પ...

સાહિત્યપ્રકારશેખચલ્લી ગ્રંથાવલિ
પૃષ્ઠપૃષ્ઠ (અનુક્રમે) – 72, 70, 94, 86

પુસ્તક વિશે

શેખચલ્લી એ જગતના રમૂજી વાર્તા સાહિત્યનો બેનમૂન નાયક છે. ક્યાંક ડોન ક્વીક ઝોટ રૂપે, ક્યાંક પરાક્રમ કરતા અડવા રૂપે, તો ક્યાંક નાટકના વિદૂષક રંગલા રૂપે. અંગ્રેજી સાહસકથાઓમાં કોઈ એક પાત્રના પરાક્રમની આસપાસ જ બધી વસ્તુગૂંથણી થાય છે. વાચકના દિલમાં પશુ, પંખી, પ્રાણી કે કુદરતની નહીં પણ પરાક્રમી વીરનાં સાહસ કર્મોની જ તસવીર રમ્યા કરે છે. તેનાથી વિપરિત શેખચલ્લીની આ ચાર સચિત્ર કિશોરકથાવલિમાં સૃષ્ટિના ઘટકોને વધારે મહત્વ અપાયું છે અને શેખચલ્લી તેમાં એક સળંગ સૂત્રરૂપે પરોવાયેલો છે. આદિથી અંત સુધી, એક પછી એક અનેકવિધ મૂંઝવણોમાં મૂકાયે જતાં શેખચલ્લીથી માર્ગ કાઢવા જે રમૂજી નુસખાઓ અપનાવાય છે તે આ વાર્તાશ્રેણીનો અનુબંધ છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech