પુસ્તક વિશે
વિશ્વના એક અગ્રીમ વિચારક આચાર્ય રજનીશજીના ૧૯૬૬ થી ૧૯૭૨ સુધીના કાર્યકાળ, તેમનો સૌરાષ્ટ્ર સાથેનો સંબંધ, ગાંધીજી અંગે તેમણે સૌપ્રથમ વ્યકત કરેલા વિચારો તેમજ આચાર્યશ્રીએ ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન રાજકોટમાં આપેલા વક્તવ્યો આ પુસ્તકમાં સંગ્રહિત છે. લેખકે તેની કિશોરાવસ્થામાં રજનીશજીની સન્મુખ બેસીને આ વક્તવ્યો માણ્યા છે. રાજકોટમાં આચાર્યશ્રીના યજમાન બનવાનું સદ્દભાગ્ય લેખકના પરિવારને મળ્યું હતું. ‘ઊર્મિનવરચના’ સામયિકમાં આચાર્યશ્રીના અર્ધી સદીપૂર્વેના લખાણો મુદ્દિત થયા હતા, જે આ પુસ્તકમાં સૌપ્રથમ ગ્રંથસ્થ બન્યા છે. આચાર્યશ્રીનું ભગવાન અને ઓશોમાં પરિવર્તન થયું નહતું તે સમયની માહિતી, જીવનજાગૃતિ કેન્દ્ર અને તેમના સૌરાષ્ટ્રના પ્રવાસો વિશેની અધિકૃત માહિતી આ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ છે. આચાર્યશ્રીના આરંભના વર્ષોનો આ ઈતિહાસ છે અને તે રીતે ‘સૌરાષ્ટ્રમાં આચાર્ય રજનીશજી’ પુસ્તક ઘણી રીતે મહત્વ ધરાવે છે.