પુસ્તક વિશે
આજનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે. બાળકો પોતાનો ઘણો સમય ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યૂટર પાછળ વ્યતિત કરે છે. તેમના સમયને સારી પ્રવૃત્તિમાં વાળવાના હેતુસર બાળવાર્તાઓના આ પુસ્તકનું લેખન થયું છે. બાળકો અને વાર્તા એકબીજાના અભિન્ન અંગ છે. આજે તો સમાજરચના ઘણી બદલાઈ ગઈ છે. માતા-પિતા કે દાદા-દાદી બાળકોને વાર્તા સંભળાવે એ દ્રશ્ય હવે જોવા મળતું નથી. અહીં સામેલ ૪૭ સચિત્ર બાળવાર્તાઓ પાંચથી બાર વર્ષના બાળકો માટે છે, જેથી
બાળકો પોતે વાંચીને આનંદ લઇ શકે. બાળકોની એક આખી મનોસૃષ્ટિ વાર્તાઓ દ્વારા રચાતી હોય છે. આ વાર્તાઓમાં પશુ, પક્ષી, પ્રકૃતિ, કુટુંબ, મિત્રો બધાનો સમાવેશ છે. આ બધા તો બાળકોને ઘડનારા મૂળભૂત તત્વો છે.