પુસ્તક વિશે
ઝવેરચંદ મેઘાણીનાં મૃત્યુ સમયે ઈ. સ. 1947માં જયમલ્લ પરમાર રાણપુરથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક ‘ફૂલછાબ’નું સંચાલન કરતાં હતાં. ઝવેરચંદ મેઘાણી પ્રત્યેના આદર અને ‘ફૂલછાબ’ની માગણીના જવાબમાં જે અંજલિ-પ્રવાહ વહ્યો તે પુસ્તકરૂપે સંગ્રહી લેવા ધાર્યું. ઝવેરચંદ મેઘાણીનાં મૃત્યુ પછી ફક્ત ચાર માસના ગાળામાં આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. ઝવેરચંદ મેઘાણીનાં જીવનનાં વિવિધ અંશો અહીં સૌપ્રથમ જયમલ્લભાઈએ સંકલિત કરી ‘હું પહાડનું બાળક’ શીર્ષકરૂપે ગ્રંથસ્થ કર્યાં હતાં. બાદમાં આ શીર્ષક અતિ પ્રચલિત બન્યું, પણ તેનો સૌપ્રથમ ઉપયોગ સ્મરણાંજલિનાં આ પુસ્તકમાં કરવામાં આવ્યો હતો. મેઘાણીભાઈનાં જીવન અને સાહિત્યને સમજવામાં આ પુસ્તક પાયારૂપ છે.