પુસ્તક વિશે
લોકકથાઓ કોઈ પણ પ્રજાનો અમૂલ્ય વારસો છે. લોકકથાઓમાં માનવસમાજ તદ્દન સાહજિક રીતે પોતાની આશાઓ અને મનોરથો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓ ઊતારતો આવ્યો છે. લોકકથાઓમાં માનવસમાજે પોતાનાં હૃદયનું પ્રતિબિંબ વિનાસંકોચે રજૂ કરી દીધું છે. લોકકથાઓએ માનવજીવનનાં ઘડતરમાં જબરો ફાળો આપ્યો છે. આ પુસ્તકમાં ‘બુંદેલખંડની વાતો’ અને ‘આદિવાસીઓની વાતો’ સંગ્રહિત છે. વાર્તાઓનાં શીર્ષક ‘ચાર શિખામણ’, ‘કાગઊડેતી’, ‘સંત અને વસંત’, ‘કાગરાણી’, ‘શિયાળની ચતુરાઈ’, ‘કુદરતની કરામત’ વગેરે. કિશોરો પાસે રજૂ કરી શકાય તેવી સાહસ, શૌર્ય, ઉદારતા, કારૂણ્ય, પ્રેમ, પરાક્રમ કે બુદ્ધિચાતુરી – એવાં કોઈક ને કોઈક તત્વોને ઉદબોધતી વાર્તાઓ આ પુસ્તકમાં સંઘરવામાં આવી છે.