જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ધરતીનાં મોતી (લોકવાર્તા સંગ્રહ)
લોકવાર્તા સંગ્રહો

ધરતીનાં મોતી (લોકવાર્તા સંગ્રહ)

લોકકથાઓ કોઈ પણ પ્રજાનો અમૂલ્ય વારસો છે. લોકકથાઓમાં માનવસમાજ તદ્દન સાહજિક રીતે પોતાની આશાઓ અને મનોરથો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓ ઊતારતો આવ્યો છે. લોકકથાઓમાં માનવસમાજે પોતાનાં હૃદયનું પ્રતિબિંબ વિનાસંકોચે રજૂ કરી દીધું છે. લોકકથાઓએ માનવજીવનનાં ઘડતરમાં જબરો ફાળો આપ્યો છે. આ પુસ્તકમાં &ls...

સાહિત્યપ્રકારલોકવાર્તા સંગ્રહો
પૃષ્ઠ-

પુસ્તક વિશે

લોકકથાઓ કોઈ પણ પ્રજાનો અમૂલ્ય વારસો છે. લોકકથાઓમાં માનવસમાજ તદ્દન સાહજિક રીતે પોતાની આશાઓ અને મનોરથો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓ ઊતારતો આવ્યો છે. લોકકથાઓમાં માનવસમાજે પોતાનાં હૃદયનું પ્રતિબિંબ વિનાસંકોચે રજૂ કરી દીધું છે. લોકકથાઓએ માનવજીવનનાં ઘડતરમાં જબરો ફાળો આપ્યો છે. આ પુસ્તકમાં ‘બુંદેલખંડની વાતો’ અને ‘આદિવાસીઓની વાતો’ સંગ્રહિત છે. વાર્તાઓનાં શીર્ષક ‘ચાર શિખામણ’, ‘કાગઊડેતી’, ‘સંત અને વસંત’, ‘કાગરાણી’, ‘શિયાળની ચતુરાઈ’, ‘કુદરતની કરામત’ વગેરે. કિશોરો પાસે રજૂ કરી શકાય તેવી સાહસ, શૌર્ય, ઉદારતા, કારૂણ્ય, પ્રેમ, પરાક્રમ કે બુદ્ધિચાતુરી – એવાં કોઈક ને કોઈક તત્વોને ઉદબોધતી વાર્તાઓ આ પુસ્તકમાં સંઘરવામાં આવી છે.

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech