પુસ્તક વિશે
આપણી લોકકથાઓનાં આ પુસ્તકમાં હિંદનાં જુદાં-જુદાં પ્રાંતોની ચોરકથાઓ તેમજ અક્કલ-હોશિયારીની અન્ય કથાઓ સંઘરવામાં આવી છે. ચોરી જેવાં હીન વ્યવસાયનો પ્રચાર કરવા આ વાર્તાઓ લખાઈ નથી. એનો ઉદ્દેશ તો લોકસાહિત્યની એક વિશિષ્ટતા-ચાતુરીની કળા બતાવવા પૂરતો જ છે. આ વાર્તાના - ચોરો ચોરી કરવા નીકળે છે ખરા, પણ એમાં તેઓ કેવી ચાતુરી વાપરે છે તેની રજૂઆત છે. આ ચાતુરી લોકો પર વપરાય છે, તે કરતાં વિશેષ તો ચોર બીજા ચોરની સામે વાપરતાં આવે છે.
એકની ચાતુરી બીજા તોડે છે, તો બીજાની ચાતુરી પહેલો કાપે છે અને ચાતુરીને પરાકાષ્ઠા તરફ પહોંચાડતાં જાય છે. ચાતુરીની વાતો લોકકથાશાસ્ત્રનો એક મહત્વનો વિભાગ ગણાય છે. તેની શાસ્ત્રીય છણાવટ પણ થઈ છે. ચાતુરીની વાતો લોકોને ગમે તે જ આ કથાઓ પાછળનો મૂળભૂત હેતુ છે.